• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • અધુરી ઊંઘના કારણે લગ્નજીવન પર વિપરીત અસર, રોજ 90 મિનિટ આ કરવાથી લગ્નજીવન ખુશહાલ બનશે...

અધુરી ઊંઘના કારણે લગ્નજીવન પર વિપરીત અસર, રોજ 90 મિનિટ આ કરવાથી લગ્નજીવન ખુશહાલ બનશે...

11:27 PM July 17, 2023 admin Share on WhatsApp



આજકાલ નાનો બદલાવ પણ લોકોના જીવનમાં તણાવનું કારણ બનતું જાય છે. એવામાં મેરેજ પછી બે વ્યકિતઓ એક સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તેમાં નાની મોટી સમસ્યા તો આવતી જ હોય છે અને આ સમસ્યાની શારીરિક અને માનસિક એમ બંને રીતે અસર જોવા મળે છે. જેના લીધે સંબંધોમાં તણાવનું પ્રમાણ વધતું જ જાય છે અને એક સમયે એવો પણ આવે છે કે લગ્નજીવન ભંગાણ સુધી પહોંચી જાય છે. આ બધા વચ્ચે આજે આપણે અહીં વાત કરીશું ૯૦ મિનિટના એક યુનિક ફોર્મ્યુલાની, જે કરવાથી તમારું લગ્નજીવન તૂટતું તો બચી જ જશે સાથે જ લગ્નજીવન ફરી એક વખત ખુશહાલ થઈ જશે.

બ્રિટનની ગાદલાં બનાવતી કંપનીના એક સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું કે, અઠવાડિયામાં ૫૦ ટકાથી વધારે વખત લોકોની ઉંઘ તૂટે છે અને તેમાં ખલેલ પડે છે. કંપનીએ ૧૫,૦૦૦થી વધારે લોકોનો સર્વે કર્યો. તેમાંથી ૨૭ ટકાએ કહ્યું કે જો તે એકલા સુવે છે તો તેમને સારી ઉંઘ આવે છે, તો વળી ૮ ટકા લોકોનું એવું કહેવું છે કે તેઓ અલગ અલગ પલંગ પર સૂવે છે તો તેમને સારી ઉંઘ આવે છે. આ ઉપરાંત ૫૫ ટકા લોકો પોતાના પાર્ટનરના નસકોરાથી પરેશાન છે.


આ પણ વાંચો : પોઝિટિવ વાતાવરણ માટે ઘરમાં લગાવો આ 8 છોડ, સુખ-સમૃદ્ધિ સાથે આવકમાં થશે વધારો...

આ પણ વાંચો : પુખ્ત વયના પાત્રોએ સહમતિથી કરેલું સેક્સ દુષ્કર્મ ન કહેવાય: ગુજરાત હાઇકોર્ટ


આ બાબતે એકસપર્ટ્સનું એવું કહેવું છે કે ઓછી ઉંઘ આવવાને કારણે અને તેનાથી થતાં સ્ટ્રેસને કારણે કપલ્સ અને તેમના મેરેજ લાઈફ પર વિપરીત અસર જોવા મળે છે. આ બાબતે વાત કરતાં સ્લીપ એકસપર્ટે જણાવ્યું હતું કે લોકો ત્યારે જ વધારે દલીલ કરે છે કે જયારે તેઓ પુષ્કળ થાકી ગયેલાં હોય છે કે પછી તેઓ સ્ટ્રેસમાં હોય છે. થાક અને સ્ટ્રેસને કારણે ગેરસમજ થાય છે અને એને કારણે કપલ્સ વચ્ચે ઝગડો થઈ જાય છે.

જો તમને પોતાના પાર્ટનરની સાથે સૂવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે તો આ ૯૦ મિનિટ વાળો ઉપાય તમારા કામમાં આવી શકે છે. હવે તમને થશે કે આખરે આ ૯૦ મિનીટવાળો ઉપાય છે શું જે લગ્નજીવનમાં ભંગાણ પાડતું અટકાવી દે છે. આમાં તમારે કરવાનું એટલું જ છે કે તમારે પાર્ટનરના સુવાના ૯૦ મિનિટ પહેલા બેડ પર સુઈ જાવ કે એ સૂઈ જાય એના ૯૦ મિનિટ બાદ સૂવાનું રાખો. આ અંતર ખૂબ જ સારૂ છે. આટલો સમય કોઈ પણ વ્યકિતને સારી ઉંઘમાં સરી પડવા માટે પૂરતો છે.

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે આ પ્રકારે સૂવાથી સારી ઊંઘ આવે છે અને કપલ્સ વચ્ચેના ઝઘડા અને વિવાદો નથી થતા કે ન તો સારી ઉંઘ માટે સંઘર્ષ કરવો પડે છે. આ સાંભળવામાં ભલે આ થોડું વિચિત્ર અને અશકય લાગે છે, પણ આ છે હકીકત અને અજમાવી જોવા જેવું તો છે જ. શરૂઆતમાં આ પ્રક્રિયા બંને માટે થોડી ઓકવર્ડ લાગશે પરંતુ પછી તમને આ ઉપાય કારગર નિવડતો જણાશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી)

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us